
ચાંદીના ભાવ રૂ. 3 લાખે પહોંચતાં કહીં ખુશી કહીં ગમ લોન કે ઉછીના લઈને ચાંદીમાં નાણાં રોકનારા પણ ટૂંકા ગાળામાં ખાટી ગયા, તો સંખ્યાબંધ વેપારીઓ- કારીગરો બેકારીની ગર્તામાં
રાજકોટ, : ચાંદીનો ભાવ રૂ. 3 લાખ સુધી પહોંચી જતાં ચાંદીનાં હબ ગણાતાં રાજકોટમાં કરોડો-અબજો રૂપિયાની ઉથલ-પાથલ સર્જાઈ છે. એક તરફ જ્યાં આ વ્યવસાય સાંથે સંકળાયેલા અનેકના ધંધા બંધ થઈ ગયા છે અને સંખ્યાબંધ કામદારોની રોજી પણ છીનવાઈ ગઈ છે ત્યાં જ બીજી બાજુ મોકો જોઈને રોકાણ કરનારા નાના- મોટા સેંકડો ઈન્વેસ્ટરોને ધૂમ કમાણી થઈ છે અને તોય, વેચાણ કરીને નીકળી ગયેલા ઘણાં રોકાણકારોને તો હજુ પણ વધતા ભાવને લઈને ‘નફામાં નુકસાન ગયું’ એવો અફસોસ પણ થઈ રહ્યો છે!
