
Surat Uttarayan Tragedy: સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વ પર બે આશાસ્પદ યુવાનોના મોતની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે ધાબા પરથી પટકાતા 14 વર્ષીય કિશોરીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અલથાણ વિસ્તારમાં પતંગની ઘાતક દોરીએ 23 વર્ષીય યુવકનો ભોગ લીધો છે.
ભેસ્તાનમાં 14 વર્ષીય ‘મંટુ’નું ધાબા પરથી પટકાતા મોત
ભેસ્તાન વિસ્તારમાં આવેલી જય રાધે સોસાયટીમાં બુધવારે (14મી જાન્યુઆરી) સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. 14 વર્ષની કિશોરી (મંટુ) પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહી હતી.
