
Surat Corporation : સુરત પાલિકાના વિવિધ બ્રિજની મરામત માટેની કામગીરી ચાલી રહી છે આ કામગીરીના ભાગરૂપે આવતીકાલે 11 ફેબ્રુઆરીથી તાપી નદી પર બનેલા ડભોલી જહાંગીરપુરા બ્રિજનું કામ શરુ કરવામં આવશે. આવતીકાલથી શરૂ થયેલી કામગીરી 78 દિવસ સુધી ચાલવાની હોય આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે આ બ્રિજનો ઉપયોગ કરનારા વાહન ચાલકોએ હવે અન્ય વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવો પડશે.
સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તાપી નદી ૫૨ ડભોલી અને જહાંગીરપુરાને જોડતા રીવરબ્રીજ આવ્યો છે આ પહેલા આ બ્રિજમાં નાના નાના અનેક રીપેરીંગ કરવામા આવ્યા હતા. પરંતુ બ્રિજના હેલ્થ રિપોર્ટમાં આ બ્રિજને વધુ રીપેરીંગની જરૂરીયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેના કારણે રીવર બ્રીજના બંને તરફના વેરીંગ કોટને રીપેરીંગ કરવા માટે આોજન કરાયું છે.
