
સુરતમાં પતંગોની રંગીન છટા અને આતશબાજીની ગૂંજ વચ્ચે ઉત્તરાયણની રજાએ લોકોના મનોરંજનનો માહોલ જામ્યો હતો. એક તરફ છત પર પતંગ ચગાવવાની મજા, તો બીજી તરફ પરિવાર સાથે ફરવા નીકળેલા સુરતીઓ માટે સરથાણા નેચર પાર્ક મુખ્ય આકર્ષણ બન્યો હતો. રજાના માહોલમાં કુદરતના ખોળે સમય પસાર કરવા ઉમટી પડેલા હજારો લોકોના કારણે નેચર પાર્ક હાઉસફુલ બની ગયો હતો. આજના દિવસે એક જ દિવસે પાલિકાના નેચર પાર્કમાં 24388 મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા જેના કારણે પાલિકાને 7.22 લાખની આવક થઈ હતી.
