
નરેન્દ્ર મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ : 72 કલાકના અખંડ ઓમકાર જાપ : 3000 ડ્રોનથી શો યોજાયાઃ રાજકોટમાં રેસકોર્સનું બંધ એરપોર્ટ હેલીપેડ તરીકે ફરી શરૂ કરાયું
રાજકોટ, : હજારો વર્ષોથી લોકોની શિવભક્તિનું કેન્દ્ર રહેલું અને વિનાશક તાકતો સામે સર્જનની શક્તિના વિજયના પ્રતિક એવા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ મંદિરમાં બરાબર 1000 વર્ષ પહેલા અને ત્યારબાદ 17 વાર થયેલા દરેક મંદિર ધ્વંશ બાદ બમણી ઉર્જાથી પુનઃ નિર્માણ પામ્યું છે. ઉપરાંત અંતિમવાર ઈ. 1951માં મંદિર નિર્માણને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જે બે પ્રસંગોને અનુલક્ષીને ઉજવાતા સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવી પહોંચ્યા હતા અને સોમનાથમાં તેમની ઉપસ્થિતિમાં 3000 ડ્રોનથી અરબી સમુદ્રના આકાશમાં તાંડવ, ઓમકાર, ત્રિશૂલ, સહિતના બિંદુચિત્રો સર્જાયા હતા. 72 કલાકના ઓમકાર મંત્રજાપના કાર્યક્રમમાં સહભાગી થઈને તેમણે મહાદેવને શિશ ઝુકાવ્યું હતું.
