
– લોકસભાના સ્પીકર સામે પક્ષપાતી વલણનો વિપક્ષનો આરોપ
– વિપક્ષના સાંસદોને બોલવા નથી દેવાતા જ્યારે સત્તાધારી પક્ષને બેફામ બોલવાની, બીજાને અપમાનીત કરવાની પણ છૂટ : કોંગ્રેસ
નવી દિલ્હી : લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે વિપક્ષ પ્રસ્તાવ લાવે તેવી શક્યતાઓ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બજેટ સત્રમાં બોલતા અટકાવવા બદલ તેમજ વિપક્ષના આંઠ સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે ઓમ બિરલા સામે પક્ષપાતનો આરોપ લગાવીને વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો છે. બીજી તરફ સોમવારે રાહુલ ગાંધી અને વિપક્ષના અન્ય કેટલાક નેતાઓ ઓમ બિરલાને મળ્યા હતા અને સંસદમાં વિવાદોનો ઉકેલ લાવવા પર ચર્ચા કરી હતી.
