
RBI’s New Loan Recovery Rules : ભારતીય રિઝર્વ બૅંકે(RBI) લોન રિકવરી પ્રક્રિયાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. છેલ્લા ઘણા સમયથી રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા અમાનવીય વ્યવહાર અને ગેરકાયદેસર હેરાનગતીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી બૅંકો, ગ્રામીણ બૅંકો, NBFC, અને સહકારી બૅંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવો પડશે.
બૅંકોને સ્પષ્ટ નીતિ બનાવવા આદેશ
RBI એ સ્પષ્ટ કર્યું છે કે, બૅંકોએ હવે રિકવરી એજન્ટોની નિમણૂક માટે એક સ્પષ્ટ નીતિ બનાવવી પડશે.
