હિંમતનગરમાં આવતીકાલે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાશે:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ટાવર ચોકથી પ્રસ્થાન, મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહેશે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહેશે. આ યુનિટી માર્ચ ગુરુવારે સવારે હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુથી શરૂ થઈ સાબરડેરી સુધી જશે. આ પદયાત્રામાં ધારાસભ્યો, સાંસદ, શહેરીજનો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાશે. વહીવટી તંત્ર અને હિંમતનગર નગરપાલિકા દ્વારા પદયાત્રાના રૂટ પર સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ટાવર ચોકમાં મંચ બનાવવા સહિતની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. પદયાત્રાના માર્ગ પર વિવિધ સમાજો અને એસોસિએશનો દ્વારા સ્વાગત કરવામાં આવશે, તેમજ અલગ-અલગ સ્થળોએ મંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. નગરજનોને આ એકતા પદયાત્રામાં જોડાવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહેશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *