
દાધિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની કમાલ : પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી અને કેળાંના પાકમાં મહારત હાંસલ કરી
અમરેલી, : પરંપરાગત ખેતી છોડીને જ્યારે ખેડૂત નવતર પ્રયોગો અને પ્રાકૃતિક અને વૈજ્ઞાાનિક પદ્ધતિ અપનાવે છે, ત્યારે ધરતી માતા સોનું આપે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામના ખેડૂત હર્ષદભાઈ ભાલાળાએ આ વાત સાર્થક કરી બતાવી છે. છેલ્લા 7 વર્ષથી કેળાના પાકમાં તેમણે મહારત હાંસલ કરી છે.
તેમણે પોતાની 25 વીઘા જમીનમાં કેળાનું વાવેતર કર્યું છે.
