
8th Pay Commission: 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટર જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ(PSGICs), નાબાર્ડ(NABARD) અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે પગાર અને પેન્શન વધારાને મંજૂરી આપી દીધી છે. નાણા મંત્રાલયના આ નિર્ણયથી નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓના મનોબળમાં વધારો થશે અને નિવૃત્ત લોકોની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બનશે.
