
મુંબઈ : ભારતના કૃષિ, ઊર્જા, શિક્ષણ, ઉત્પાદન તથા આરોગ્યસંભાળ ક્ષેત્રના મૂલ્યમાં ૨૦૩૫ સુધીમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ૫૫૦ અબજ ડોલર જેટલો ઉમેરો કરશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
પીડબ્લ્યુસી દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે દેશમાં ૨૦૫૦ સુધીમાં લોકસંખ્યાનો આંક વધી ૧.૬૦ અબજ પહોંચવાની શકયતાને ધ્યાનમાં રાખતા ખાધ્ય પદાર્થના ઉત્પાદનમાં ૭૦ ટકા વધારો કરવાની આવશ્યકતા છે ત્યારે એઆઈ સહિતની ડિજિટલ ટેકનોલોજીસના જોડાણ ઉત્પાદકતામાં વધારો કરવા માટે મહત્વના છે.
કૃષિ ક્ષેત્રમાં એઆઈના ઉપયોગથી તેના મૂલ્યમાં ૧૫૪ અબજ ડોલરનો ઉમેરો થઈ શકે છે.
