Jamnagar News: જામજોધપુરના વીરપુરમાં જૂથ અથડામણ, યુવકની હત્યા, 10થી વધુ લોકો ઘાયલ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • વીરપુરમાં જૂથ અથડામણમાં 30 વર્ષીય યુવકની હત્યા
  • બે જૂથ વચ્ચે અથડામણમાં 10 જેટલા લોકો ઘાયલ
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

જામજોધપુરના વિરપુરમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક યુવકની હત્યા થઇ છે, જ્યારે 10થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ, જામનગરમાં આવેલા જામજોધપુરના વિરપુરમાં 2 જૂથો વચ્ચે ઘાતક હથિયારોને લઇ ઘર્ષણ થયું હતું. આ જૂથ અથડામણમાં 30 વર્ષીય વીરા પાલાભાઈ કાપરીયાની હત્યા થઇ જ્યારે 10 જેટલાં લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.

બે જૂથ વચ્ચે અથડામણની જાણ થતા શેઠ વડાળા પોલીસ દ્વારા ઘટનાસ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂથ અથડામણ કયા કારણોસર થયું તે અંગે જામનગર ગ્રામ્ય DYSP દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.







📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *