
Ahmedabad News : અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી અને ગુંડાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાડજ વિસ્તારમાં વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લર પર કેટલાક અસામાજિક તત્ત્વોએ ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક ગ્રાહક કાચની બોટલ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટના પાન પાર્લરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
