
Chhota Udepur : છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ગોયાવાંટથી કુકરદા ગામનો રસ્તો નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 10 વર્ષ બાદ નવો રસ્તો મંજૂર કરાયો છે, ત્યારે બીએસજીના ડામરના લેયરમાં રસ્તો બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાકટર અને તંત્ર દ્વારા કૌભાંડ આચર્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે, રસ્તો બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે. જેમાં હાથથી ડામર રસ્તો ઉખડી જાય છે, ત્યારે સ્થાનિકોએ સૂત્રોચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
નસવાડીમાં ગોયાવાંટથી કુકરદા ગામનો નવો રસ્તો બનાવવાની કામગારીમાં કૌભાંડ
