વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. આ સમયે કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે અને એમ.એસ યુનિવર્સિટીના યુનિયન પેવેલિયન (સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ)માં જનસભા સંબોધશે. જેને લઈ સેનેટ સભ્યએ યુનિવર્સિટીના મેદાનમાં રાજકીય કાર્યક્રમનો સખત વિરોધ નોંધાવ્યો હતો. સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં આ પરવાનગી તાત્કાલિક રદ કરવા માગ કરી હતી. ત્યારે MSUના વિદ્યાર્થીઓને દિવ્ય ભાસ્કરે પૂછ્યું હતું કે, યુનિવર્સિટીના મેદાનમાં આયોજિત પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ વિશે તમારું શું કહેવું છે. આ અંગે તેઓએ શું શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
'યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવવાની શરૂઆત ', VIDEO:'ગ્રાઉન્ડ ખોદી નાખ્યું, 100 કરોડની ગ્રાંટ આપીને જજો', MSUના મેદાનમાં મોદીના કાર્યક્રમના વિરોધ પર વિદ્યાર્થીઓએ શું કહ્યું?
📅 Published: September 4, 2026 |
📂 Category: gujarati-news
