ગોધરામાં શિવ ગંગા ગ્રુપની ગણપતિ આગમન યાત્રા યોજાઈ:હજારો ગણેશ ભક્તો ઢોલ-નગારાના તાલે ભક્તિમય માહોલમાં જોડાયા

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો. શિવ ગંગા ગ્રુપ દ્વારા ગણપતિ આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ગણેશ ભક્તો જોડાયા. ઢોલ-નગારાના તાલે ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. આખી યાત્રા દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગણેશજીની પ્રતિમાને શણગારેલા વાહનમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવી. યાત્રાના રસ્તા પર મોટી સંખ્યામાં ભક્તોએ ગણપતિ બાપ્પાના દર્શન કર્યા અને આરતી-પૂજા કરી. શિવ ગંગા ગ્રુપની આ આગમન યાત્રામાં યુવાનો, મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા. ગણેશ ભક્તોના ઉત્સાહ અને ભક્તિને કારણે આખું ગોધરા શહેર ગણેશમય બની ગયું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *