ભારે વિનાશ પછી ઇન્ટરનેશનલ મીડિયા પહેલીવાર તિબેટ પહોંચ્યું:ચીની વિદેશ મંત્રાલયે મુલાકાત કરાવી, નેપાળ પૂર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5000 લોકો ગુમ

📅 Published: September 7, 2026 | 📂 Category: International

નેપાળ-તિબેટ સરહદ પર ગ્લેશિયર તૂટ્યા પછી આવેલી ભયાનક પૂરથી પ્રભાવિત વિસ્તારમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મીડિયાને જવાની મંજૂરી આપવામાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયે રવિવારે રોયટર્સ સહિત અનેક વિદેશી મીડિયા સંસ્થાઓના પત્રકારોને ગ્યિરોંગ બોર્ડર ક્રોસિંગની મુલાકાત કરાવી. આ વિસ્તાર 26 ઓગસ્ટે પાણી, કાદવ અને કાટમાળના તેજ પ્રવાહની ઝપેટમાં આવ્યો હતો. ચીન અને નેપાળને ભેગા કરીને આ આફતમાં 1,300થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 5,000થી વધુ લોકો હજુ પણ ગુમ છે. તિબેટ-નેપાળ દુર્ઘટના સંબંધિત 5 ફોટા ચીને પહેલીવાર વિદેશી મીડિયાને તબાહી બતાવી મુલાકાત દરમિયાન પત્રકારોએ અસરગ્રસ્ત વિસ્તારમાં ચાલી રહેલા બચાવ અભિયાનને જોયું. નારંગી રંગના યુનિફોર્મ પહેરેલા બચાવકર્મીઓ ખોદકામ મશીનો, પાવડા અને જમીનની નીચે શોધખોળ કરતા રડારની મદદથી લોકો અને મૃતદેહોને શોધી રહ્યા છે. આપત્તિ પહેલાં અહીં ચીનની પાંચ માળની કસ્ટમ્સ બિલ્ડિંગ હતી, પરંતુ હવે તેનો કોઇ પત્તો જ નથી. લગભગ 20 મીટર ઊંચો બોર્ડર ગેટ પણ કાટમાળમાં દટાઈ ગયો છે. ત્યાં ફક્ત નજીકના પાણીના ટાવરનો એક ભાગ દેખાઈ રહ્યો છે. જ્યાં પહેલાં બોર્ડર ગેટ હતો, ત્યાં ચીનનો ધ્વજ લગાવવામાં આવ્યો છે. આસપાસનો આખો વિસ્તાર ભૂરા-કાળા કાટમાળથી ઢંકાયેલો છે. બચાવકર્મીઓ ચેતવણી બોર્ડની પાછળ સતત ખોદકામ કરી રહ્યા છે. સમાચાર સંબંધિત અપડેટ્સ માટે, નીચે આપેલા બ્લોગમાંથી પસાર થાઓ…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *