નેપાળમાં પુનર્નિર્માણ માટે ₹4.52 લાખ કરોડ લાગશે:આ દેશની GDP કરતાં પણ વધુ; પૂરથી 16 લાખ લોકો પ્રભાવિત, 1377ના મોત

📅 Published: September 11, 2026 | 📂 Category: International

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલી ભયાનક પૂરથી એટલો મોટો વિનાશ થયો છે કે હવે તૂટેલા ઘર, રસ્તાઓ અને પુલ ફરીથી બનાવવા માટે 4.52 લાખ કરોડ ભારતીય રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. આ રકમ નેપાળની GDP 4.32 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. પૂરથી લગભગ 16 લાખ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 1377 લોકોના મોત થયા છે અને 5130 લોકો ગુમ છે. કુલ અંદાજિત ખર્ચનો લગભગ 75% એટલે કે ₹2.96 લાખ કરોડ રસ્તા, પુલ, વીજળી અને અન્ય જરૂરી સુવિધાઓ ફરીથી બનાવવામાં લાગશે. પૂરમાં 7,570 ઘર, 48 સરકારી ઇમારતો, 18 શાળાઓ અને 7 આરોગ્ય કેન્દ્રો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. નેપાળ પૂર સંબંધિત 3 તસવીરો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *