તાજેતરમાં મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે સાપ કરડવા (સ્નેક બાઈટ)ને ‘નોટિફાયેબલ ડિઝીઝ’ જાહેર કર્યો. એટલે કે હવે આરોગ્ય વિભાગને સ્નેક બાઈટના કેસો અને તેનાથી થતા મૃત્યુની જાણકારી આપવી ફરજિયાત રહેશે. ભારતમાં દર વર્ષે લાખો લોકો સર્પદંશનો ભોગ બને છે. ચોમાસા દરમિયાન આ કેસોમાં વધુ વધારો થાય છે. ભારત સરકારના આંકડા મુજબ, દેશમાં વાર્ષિક 30 થી 40 લાખ સ્નેક બાઈટના કેસ સામે આવે છે. તેમાંથી 50 હજારથી વધુ લોકોના મોત થાય છે. દુનિયાભરમાં સર્પદંશથી થતા કુલ મૃત્યુમાં અડધાથી વધુ મૃત્યુ એકલા ભારતમાં થાય છે. ચિંતાની વાત એ છે કે દર 10 માંથી ફક્ત 3 પીડિત જ હૉસ્પિટલ સુધી પહોંચી શકે છે. તેથી ‘કામના સમાચાર’માં આજે સ્નેક બાઈટની વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાતઃ ડૉ. અજય નાયર, સીનિયર કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, નારાયણા હૉસ્પિટલ, જયપુર પ્રશ્ન- ચોમાસામાં સાપ કરડવાના કિસ્સાઓ શા માટે વધી જાય છે? જવાબ- તેને મુદ્દાઓથી સમજીએ- પ્રશ્ન- સાપ કરડવાથી કયા લક્ષણો દેખાય છે? ક્યારે તરત હૉસ્પિટલ લઈ જવું જરૂરી છે? જવાબ- સાપ કરડવાના લક્ષણો સાપ ઝેરી હતો કે નહીં તેના પર નિર્ભર કરે છે. પરંતુ કેટલાક સંકેતો એવા હોય છે, જેમાં તરત હૉસ્પિટલ લઈ જવું ખૂબ જ જરૂરી છે. ગ્રાફિકમાં બધા લક્ષણો જોઈએ- પ્રશ્ન- જો સાપ કરડે તો સૌથી પહેલા શું કરવું જોઈએ? જવાબ- તેને પોઈન્ટર્સથી સમજીએ- 1. દર્દીને શાંત, સ્થિર રાખો 2. હલનચલન ન કરવા દો 3. હાથ કે પગને ટેકો આપો 4. ચુસ્ત કપડાં-સામાન હટાવી દો 5. તરત હૉસ્પિટલ લઈ જાઓ પ્રશ્ન- સાપ કરડવા પર ડૉક્ટર શું ટ્રીટમેન્ટ આપે છે? જવાબ- તેને પોઈન્ટર્સથી સમજીએ- પ્રશ્ન- સાપ કરડવા પર ડૉકટરો સાપનો ફોટો ક્લિક કરવાનું શા માટે કહે છે? જવાબ- આનાથી સાપની પ્રજાતિ સમજવામાં, તેના ઝેરનો અંદાજ લગાવવામાં અને સારવારમાં મદદ મળે છે. પ્રશ્ન- સાપ કરડવા પર કઈ હૉસ્પિટલમાં જવું જોઈએ? જવાબ- એવી હૉસ્પિટલમાં લઈ જાઓ, જ્યાં ઇમરજન્સી, ICU, ઓક્સિજન અને એન્ટિ સ્નેક વેનમ ઉપલબ્ધ હોય. જો લક્ષણો ગંભીર હોય, તો મોટા ટ્રોમા સેન્ટર અથવા મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં જાઓ. હૉસ્પિટલ દૂર હોય તો પહેલા નજીકના PHC/CHC (પ્રાયમરી / કમ્યુનિટી હેલ્થ સેન્ટર) પહોંચો. પ્રશ્ન- સાપ કરડવા પર કઈ ભૂલો ન કરવી જોઈએ? જવાબ- આ દરમિયાન કરવામાં આવેલી ભૂલોથી સ્થિતિ બગડી શકે છે. તેથી સારવારમાં વિલંબ કરવાથી અથવા ઘરેલું ઉપાયો અપનાવવાથી બચો. યાદ રાખો, સર્પદંશની સાચી સારવાર હૉસ્પિટલમાં જ શક્ય છે. બધી ભૂલો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- વરસાદની ઋતુમાં કઈ જગ્યાઓ પર સાપ વધુ નીકળે છે? જવાબ- આવી જગ્યાઓ પર સાપ વધુ નીકળે છે- પ્રશ્ન- ઘરમાં કે આસપાસ સાપ દેખાય તો શું કરવું અને શું બિલકુલ ન કરવું? જવાબ- ગ્રાફિકમાં બધી સાવચેતીઓ જોઈએ- પ્રશ્ન- ચોમાસામાં ઘરની અંદર સાપ-વીંછી આવતા કેવી રીતે રોકવા? જવાબ- તેને મુદ્દાઓથી સમજીએ- પ્રશ્ન- શું કોઈ એવી રીત છે, જેનાથી ઝેરી અને બિન-ઝેરી સાપ વચ્ચે ફરક જાણી શકાય? જવાબ- ના, સામાન્ય લોકો માટે માત્ર જોઈને એ નક્કી કરવું મુશ્કેલ હોય છે કે સાપ ઝેરી છે કે નહીં. માથાનો આકાર, રંગ, આંખોની કીકી કે શરીરના નિશાન જેવી પરંપરાગત રીતો હંમેશા સાચી હોતી નથી. એક જ પ્રજાતિના સાપનો રંગ અને આકાર પણ અલગ-અલગ હોઈ શકે છે. પ્રશ્ન- જો જંગલ કે ખેતરોની નજીક રહો છો, તો સાપથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ? જવાબ- જંગલ, ખેતર કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. આ માટે- સાપ કરડવાથી સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો-જવાબો પ્રશ્ન- ઘરમાં હાજર કઈ વસ્તુઓ સાપને આકર્ષિત કરે છે? તેમનું મનપસંદ સ્થળ કયું છે? જવાબ- ઉંદર, ગરોળી અને દેડકા સાપને આકર્ષે છે. જ્યારે ઘાસ-ઝાંખરા, લાકડા, ઈંટ, કચરો અને ભૂસાના ઢગલા તેમના છુપાવવાની મનપસંદ જગ્યાઓ હોય છે. સાપ અંધારી, ઠંડી અને ભેજવાળી જગ્યાઓ જેવી કે સ્ટોર રૂમ, તિરાડો, પાઈપોની આસપાસ અને પાણી જમા થતા વિસ્તારોમાં પણ છુપાઈ શકે છે. પ્રશ્ન- સાપ કરડવા પર નિષ્ણાતો ઝેર ચૂસવા કે ઘા કાપવાની ના કેમ પાડે છે? જવાબ- ડૉ. અજય નાયરના મતે, ઝેર ચૂસવાથી કે ઘા કાપવાથી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.
ભારતમાં દર વર્ષે સાપ કરડવાથી 50 હજારથી વધુ લોકોના મોત:ડંખ મારે તો તરત જ કરો આ 6 કામ, આ 10 ભૂલો બિલકુલ ન કરતા; ડૉક્ટર પાસેથી જાણો તમામ પ્રશ્નોના જવાબ
📅 Published: September 14, 2026 |
📂 Category: Lifestyle
