વલસાડમાં દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું વિસર્જન:વાકી નદી કિનારે ઢોલ-નગારાના તાલે ભક્તિમય માહોલમાં ભક્તોએ આપી વિદાય

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ શહેરમાં ગણેશોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરાયા બાદ આજે દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું. શહેરના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં સ્થાપિત ગણપતિજીની પ્રતિમાઓને શ્રદ્ધા અને ભાવુક વાતાવરણ વચ્ચે વાકી નદી ખાતે વિસર્જન માટે લાવવામાં આવી હતી. ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપ્પાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ગણપતિ બાપ્પાની આરતી કરી, શ્રીફળ વધેર્યા અને આગામી વર્ષે ફરીથી પધારવા માટે પ્રાર્થના કરી. ત્યારબાદ વિધિ અનુસાર ગણેશજીની પ્રતિમાઓનું વાકી નદીમાં વિસર્જન કરાયું. વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. કોઈ અણબનાવ ન બને તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરાઈ હતી. ગણેશભક્તોએ પણ શાંતિપૂર્ણ અને પર્યાવરણનું ધ્યાન રાખીને વિસર્જન કરી ગણેશોત્સવની પરંપરા જાળવી રાખી. “ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે જલ્દી આવજો”ના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી. દોઢ દિવસના ગણપતિના વિસર્જન સાથે વલસાડમાં ગણેશોત્સવના પ્રથમ તબક્કાનું ભાવુક સમાપન થયું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *