ઉત્તરાખંડના હલ્દ્વાની ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જાહેર સભા પૂર્ણ થયા બાદ મેદાનમાં ગંગાજળ છાંટવાની ઘટનાના વિરોધમાં પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ માર્ચ યોજવામાં આવી હતી. ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ખડગેની સભા બાદ ગંગાજળ છાંટ્યાનો આક્ષેપ
ઉત્તરાખંડના હલ્દ્વાની સ્થિત રામલીલા મેદાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવી હતી. કોંગ્રેસ આગેવાનોના આક્ષેપ મુજબ, સભા પૂર્ણ થયા બાદ ભાજપ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા મેદાનમાં ગંગાજળ છાંટવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ ઘટનાને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપતી માનસિકતા ગણાવી હતી. દલિત સમાજના નેતા સાથેના વલણ સામે વિરોધ
કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવાયું હતું કે દેશને આઝાદી મળ્યાને આટલા વર્ષો બાદ પણ દલિત સમાજમાંથી આવતા દેશના સર્વોચ્ચ નેતા સામે આ પ્રકારનું વલણ દાખવવામાં આવે તે દુઃખદ અને નિંદનીય છે. આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં રોષ વ્યક્ત કર્યો હોવાના ભાગરૂપે પાટણમાં પણ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસનું પ્રદર્શન
પાટણ શહેર કોંગ્રેસ અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંયુક્ત રીતે બગવાડા દરવાજા ખાતે વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો માર્ચમાં જોડાયા હતા. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સામાજિક સમાનતા જાળવવાની માંગ કરી હતી.
હલ્દ્વાનીમાં મલ્લિકાર્જુન ખડગેની જાહેરસભા બાદ ગંગાજળ છાંટવાનો આક્ષેપ:અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાના આરોપ સાથે પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસની વિરોધ માર્ચ
📅 Published: August 14, 2026 |
📂 Category: gujarati-news
