અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આહ્વાન અને રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત આજે ભાવનગર જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, કેરળ રાજ્યમાં ક્વિઝ સ્પર્ધા દરમિયાન વીર સાવરકર વિશે પ્રશ્ન પૂછનાર એક શિક્ષકને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા તેની સામે દેશભરના શૈક્ષણિક જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વાત કરતા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ, ભાવનગર જિલ્લાના અધ્યક્ષ મનીષ જોગરાણાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર મહાન ક્રાંતિકારી વીર સાવરકરજી વિશે પ્રશ્ન પૂછવો એ કોઈ ગુનો નથી. ક્રાંતિકારીઓના બલિદાન અને સમર્પણને ભૂંસી નાખવાના પ્રયાસરૂપે કેરળ સરકાર દ્વારા શિક્ષક ઉપર દબાણ લાવી તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, મહાસંઘ દ્વારા કલેક્ટર સમક્ષ સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે, સસ્પેન્ડ કરાયેલા શિક્ષકને તાત્કાલિક અસરથી ફરીથી તેમની સેવામાં પૂર્વવત્ કરવામાં આવે., રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતા શિક્ષકોને શૈક્ષણિક સ્વતંત્રતા મળવી જોઈએ, જેથી તેઓ કોઈપણ પ્રકારના ભય કે દબાણ વગર વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન આપી શકે., આ આવેદનપત્ર આપતી વેળાએ ભાવનગર જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા…
પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું:કેરળમાં વીર સાવરકર પર પ્રશ્ન પૂછનાર શિક્ષકને સસ્પેન્ડ કરવા સામે રોષ
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
