વૈશ્વિક સ્તરે ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ અને આયુર્વેદનો ડંકો વાગવા જઈ રહ્યો છે. જાપાનના પાટનગર ટોક્યો ખાતે યોજાનારી ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ટ્રેડિશનલ મેડિસિન’ (International Conference on Traditional Medicine) માં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો એક સુવર્ણ અને ગૌરવપૂર્ણ અવસર સાંપડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ પરિષદમાં દેશ અને આયુર્વેદનું ગૌરવ વધશે. એકમાત્ર ભારતીય પ્રતિનિધિ તરીકે પસંદગી
આગામી 24-25 ઓગસ્ટ 2026 દરમિયાન જાપાનના ટોક્યો શહેરમાં યોજાનારા આ વૈશ્વિક સંમેલનમાં એકમાત્ર ભારતીય પ્રતિનિધિ તરીકે ડો. પ્રેરક શાહને કીનોટ સ્પીકર (Keynote Speaker) તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ કોન્ફરન્સમાં ઓર્ગેનાઇઝિંગ કમિટી મેમ્બર (Organizing Committee Member) તરીકે પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જે સમગ્ર દેશ માટે અત્યંત આનંદ અને ગૌરવની બાબત છે. વૈશ્વિક સ્તરે જ્ઞાનનું આદાન-પ્રદાન થશે
આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને આયુર્વેદના જ્ઞાન અંગે વૈશ્વિક સ્તરે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. વિશ્વભરમાંથી પધારેલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો સાથે ભારતીય આયુર્વેદના પ્રાચીન અને વૈજ્ઞાનિક જ્ઞાનનું આદાન-પ્રદાન કરવા માટે તથા વૈશ્વિક સંવાદમાં સક્રિય યોગદાન આપવા માટે ભારત ઉત્સાહપૂર્વક આતુર છે.
ટોક્યોમાં ગૂંજશે ભારતીય આયુર્વેદનો વિજયનાદ:આંતરરાષ્ટ્રીય પરિષદમાં કીનોટ સ્પીકર અને ઓર્ગેનાઇઝિંગ કમિટી મેમ્બર તરીકે ડો. પ્રેરક શાહને નિમંત્રણ મળ્યું
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
