પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલ પરિચાલનની સંરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના હેતુથી, મુખ્યાલય સંરક્ષા ઓડિટ ટીમ દ્વારા 19 ઓગસ્ટ, 2026 ના રોજ વેરાવળ-જૂનાગઢ સેક્શન તેમજ વેરાવળ અને જૂનાગઢ સ્ટેશનોનું ઇન્ટર ડિવિઝન સંરક્ષા ઓડિટ નિરીક્ષણ કરવામાં આવ્યું. મુખ્યાલયની સંરક્ષા ઓડિટ ટીમમાં પ્રમુખ મુખ્ય સંરક્ષા અધિકારી (PCSO) શ્રી કુશાલ સિંહ, મુખ્ય વિદ્યુત ઈજનેર/પરિચાલન (CEE/OP) શ્રી દિનેશ જૈન, મુખ્ય રોલિંગ સ્ટોક ઈજનેર (માલ પરિવહન અને પરિચાલન) શ્રી આનંદ પી. સોની, મુખ્ય માલભાડા પરિવહન પ્રબંધક (CFTM) શ્રી નરેન્દ્રન પનવાર, ઉપ મુખ્ય સંરક્ષા અધિકારી (યાંત્રિક) શ્રી મહેશ કુમાર, ઉપ મુખ્ય સંરક્ષા અધિકારી (વિદ્યુત) શ્રી નિતિશ કુમાર બોયલ, ઉપ મુખ્ય પરિચાલન પ્રબંધક (સુરક્ષા) શ્રી નવેદુ દત્તા, ઉપ મુખ્ય સંરક્ષા અધિકારી (ઈજનેરી) શ્રી સંજીવ જૈન સહિત અન્ય સંરક્ષા અધિકારીઓ સામેલ હતા. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓડિટ દરમિયાન વેરાવળ-જૂનાગઢ સેક્શનના વિવિધ સ્ટેશનો અને મહત્વપૂર્ણ સંરક્ષા સંપત્તિઓનું વિગતવાર અને સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. ટીમે લેવલ ક્રોસિંગ ગેટ, પુલ, RRI, ART, ARME, લોબી, રનિંગ રૂમ સહિત પરિચાલન અને સંરક્ષા સાથે સંકળાયેલી વિવિધ વ્યવસ્થાઓની વ્યાપક સમીક્ષા કરી. નિરીક્ષણ દરમિયાન સંબંધિત વ્યવસ્થાઓની કાર્યપ્રણાલી, નિર્ધારિત સંરક્ષા ધોરણોનું પાલન તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં તત્પરતાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ સંરક્ષા ઓડિટનો મુખ્ય ઉદ્દેશ રેલ પરિચાલનમાં નિર્ધારિત સંરક્ષા ધોરણો અને પ્રક્રિયાઓના અસરકારક પાલનનું મૂલ્યાંકન કરવું, સંભવિત સંરક્ષા જોખમોની ઓળખ કરવી તેમજ તેમને દૂર કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાંને વધુ અસરકારક બનાવવાનો હતો. આવા ઓડિટથી પરિચાલન વ્યવસ્થાની નિયમિત સમીક્ષા સાથે સંરક્ષા સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં મદદ મળે છે. આ પ્રસંગે ભાવનગર મંડળના અપર મંડલ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા તથા વરિષ્ઠ મંડલ સંરક્ષા અધિકારી શ્રી માણિક ગુપ્તા સહિત મંડળના વિવિધ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના અધિકારીઓ અને કર્મચારીઓએ મુખ્યાલય ઓડિટ ટીમ સાથે નિરીક્ષણમાં સક્રિયપણે ભાગ લીધો અને સંરક્ષા સંબંધિત વિવિધ વ્યવસ્થાઓની માહિતી પૂરી પાડી. અધિકારીઓએ સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને રેલ પરિચાલનને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને સુચારુ બનાવવા માટે સતત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભાવનગર મંડળ દ્વારા મુસાફરો અને રેલ કર્મચારીઓની સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં, સંરક્ષા ધોરણોના અસરકારક અમલીકરણ અને સતત દેખરેખ દ્વારા સુરક્ષિત રેલ પરિચાલન સુનિશ્ચિત કરવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભાવનગર મંડળમાં રેલ સંરક્ષા ઓડિટ:મુખ્યાલય ટીમે વેરાવળ-જૂનાગઢ સેક્શનનું સઘન નિરીક્ષણ કર્યું
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
