Ahmedabad: બેંક ઓફ્ ઈન્ડિયા ખાતે દેશભક્તિ સાથે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો

📅 Published: August 20, 2026 | 📂 Category: Ahmedabad

બેંક ઓફ્ ઈન્ડિયા, અમદાવાદ અંચલ અમદાવાદમાં તેના ઐતિહાસિક ભદ્ર બિલ્ડીંગ ખાતે ખૂબ જ ગર્વ, ઉત્સાહ અને દેશભક્તિ સાથે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. ઔપચારિકતાઓ પછી, ભવ્ય કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે ‘વંદે માતરમ’ ના સામૂહિક ગાન સાથે થઈ. ત્યારબાદ મુખ્ય અતિથિ, અજય કુમાર ત્રિપાઠી, ફીલ્ડ જનરલ મેનેજર, એફ્.જી.એમ.ઓ., અમદાવાદ દ્વારા ધ્વજારોહણ અને સામૂહિક રાષ્ટ્રગીત ગાન દ્વારા કરવામાં આવ્યું. ઔપચારિક કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ, અજય કુમાર ત્રિપાઠીના પ્રેરણાદાયી ભાષણથી થઈ. ટ્રેડ યુનિયનો અને સંગઠનોના માનનીય મહાનુભાવોએ વ્યક્તિગત અને બેંકિંગ પ્રથાઓમાં જરૂરી ફેરફારો લાવવા અંગે પોતાના મંતવ્યો શેર કર્યા. તમામ સુરક્ષા ગાર્ડ્સ, હાઉસકીપિંગ સ્ટાફ્, કેઝયુઅલ સ્ટાફ્ અને ડ્રાઇવરો માટે સન્માન અને ભેટ વિતરણનો એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉત્સવના વાતાવરણને વધુ સારું બનાવવા માટે, કર્મચારીઓના બાળકો માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધા, રેમ્પ વોક અને દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *