જામનગર-માણાવદર ST બસ સેવા ફરી શરૂ:દોઢ વર્ષ બાદ વેપારીઓ-ગ્રામજનોની રજૂઆતથી અનેક ગામોને લાભ

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

જામનગરથી વાયા લાલપુર, માણાવદર અને મઢડા જતી એસ.ટી. બસ સેવા દોઢ વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. આ સેવા કોઈ કારણોસર બંધ થવાથી વેપારીઓ અને ગ્રામજનોને મુશ્કેલી પડતી હતી. લાલપુરના વેપારીઓ અને ગ્રામજનોએ આ બસ સેવા પુનઃ શરૂ કરવા માટે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડાને રજૂઆત કરી હતી. આ બસ સેવા ફરી શરૂ થતાં લાલપુર સહિત આસપાસના વિસ્તારોના લોકોને મોટી રાહત મળશે. લાલપુર, હરિપર, તણ પાટીયા, જામજોધપુર, સતાપર, ખાગેશ્રી, કુતિયાણા, બાંટવા અને માણાવદર સહિતના અનેક ગામોના મુસાફરોને તેનો સીધો લાભ મળશે. બસ જામનગરથી બપોરે ૨ વાગ્યે ઉપડશે અને અંદાજે 3 વાગ્યે લાલપુર પહોંચશે. આ બસ સેવા પુનઃ શરૂ કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *