શહેરના વ્યસ્ત ગણાતા જમાલપુર બ્રિજ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો માટે એક મોટો ખતરો ઉભો થયો છે. બ્રિજ પર આવેલી લાઇટના પોલ અથવા ઇલેક્ટ્રિક બોક્સ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાંથી ખુલ્લા વાયરો બહાર આવી ગયા છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા સેવાઈ રહી છે.
સ્થિતિ કેમ ચિંતાજનક છે?
મહત્વનું છે કે ઇલેક્ટ્રિક પટ્ટી અને બોક્સ સંપૂર્ણપણે તૂટી ગયેલું છે. વાયરો ઉપરનું કવરિંગ પણ હટી ગયું છે, જે ખુલ્લેઆમ રસ્તા પર કે ફૂટપાથ પર લટકી રહ્યા છે. વરસાદી સીઝન કે ભેજવાળા વાતાવરણમાં આવા ખુલ્લા વાયરોમાંથી થાંભલામાં કે આસપાસના વિસ્તારમાં કરંટ ફેલાવાનો મોટો ભય રહે છે. આ રસ્તા પરથી સતત લોકોની અવરજવર રહે છે. નાના બાળકો કે રસ્તે ચાલતા અજાણ્યા નાગરિકો ભૂલથી પણ આ વાયરને અડી જાય તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે.
