Vadodara: શિવલિંગ પર જળાભિષેક કરી ભક્તોએ બિલ્વપત્ર અર્પણ કર્યા

📅 Published: August 24, 2026 | 📂 Category: Baroda

પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવનગરીના નવનાથ મહાદેવ સહિત તમામ શિવાલયોમાં હર-હર મહાદેવનો નાદ ગૂંજ્યો હતો. જ્યારે, બીજીબાજુ ભગવાન શ્રીસત્યનારાયણની કથાનું પણ ઠેર-ઠેર આયોજન કરાયું હતું.

શહેરના નવનાથ સહિતના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. શિવભક્તોએ બ્રહ્મમુહૂર્તથી જ શિવમંદિરોમાં પહોંચી ભોળેનાથના દર્શન કરી શિવલિંગ પર જળાભિષેક, પંચામૃત અભિષેક કરી બિલ્વપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. શહેરની રક્ષા કરતા સિદ્ધનાથ, રામનાથ, ઠેકરનાથ, મોટનાથ, કામનાથ, ભીમનાથ, કાશીવિશ્વેશ્વર, કોટનાથ અને જાગનાથ ખાતે ભક્તોએ શિવ આરાધના કરી ઓમ્ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા સાથે દૂધ, દહીં, મધ, ઘી અને ગંગાજળથી અભિષેક કર્યો હતો. ત્યારબાદ બિલ્વપત્ર, ધતુરા, આંકડાના ફુલ, ચંદન અર્પણ કરી ફળફળાદિ-મીઠાઈ ધરાવી હતી. શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવાલયોમાં ઘંટનાદ, શિવમંત્રો, શિવ ચાલીસા, રુદ્રાષ્ટક અને મહામૃત્યુંજય મંત્રના જાપ સવારથી રાત સુધી જારી રહ્યા હતા. શ્રાવણ માસના ચાર સોમવાર પૈકી હવે તા.24 અને 31મી ઓગસ્ટ તેમજ તા.7મી સપ્ટેમ્બરે છે. શ્રાવણ શુક્લ દ્વાદશી તિથિ આજે તા.25 ઓગસ્ટની સવારે 6:20 વાગ્યા સુધી રહેશે. આજે પૂર્વાષાઢા નક્ષત્ર રાત્રે 8:28 વાગ્યા સુધી છે, ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર શરૂ થશે. ઉલ્લેખનીય છે કે સોમવાર સ્વયં ચંદ્ર સાથે સંકળાયેલો હોઇ શ્રાવણી સોમવારનું શિવપૂજન વિશેષ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *