ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક વિશેષ સુવિધાની જાહેરાત કરી છે. રક્ષાબંધનના દિવસે, આ તમામ ભરૂચ પાલિકા સંચાલિત સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે શહેરમાં અવરજવર કરતી હોય છે. તેઓ સરળતાથી મુસાફરી કરી શકે અને મુસાફરી ખર્ચમાંથી રાહત મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. 28મી તારીખે રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમિયાન આ મફત બસ સેવા ઉપલબ્ધ રહેશે. ગત વર્ષે પણ નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો હજારો બહેનોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલાઓ આ સુવિધાનો લાભ લેશે તેવી અપેક્ષા છે. પાલિકા પ્રમુખે આ પ્રસંગે તમામ નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભરૂચ પાલિકાનો મહત્વનો નિર્ણય:15 વર્ષ સુધીના બાળકો અને બહેનો સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
