એમ.એસ. બિટ્ટાએ કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા:શ્રાવણી પૂર્ણિમાએ દેશની શાંતિ-સુરક્ષા માટે પ્રાર્થના કરી

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

ભારત-પાકિસ્તાન સરહદે રક્ષાબંધન કાર્યક્રમમાં હાજરી આપવા કચ્છ આવેલા ‘ઝિંદા શહીદ’ એમ.એસ. બિટ્ટાએ શ્રાવણી પૂર્ણિમાના પાવન અવસરે કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. તેમની સાથે ઋષભભાઈ મારૂ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન આધ્યાત્મિકતા અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મંદિરે પહોંચીને એમ.એસ. બિટ્ટાએ ભગવાન કોટેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. તેમણે દેશની શાંતિ, સુરક્ષા અને સીમા પર ફરજ બજાવતા જવાનો માટે વિશેષ પ્રાર્થના કરી હતી. પવિત્ર વાતાવરણમાં દર્શન કરતી વખતે તેમના ચહેરા પર ભક્તિભાવ સાથે દેશપ્રેમની લાગણી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. આ પ્રસંગે કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત દિનેશગીરી ગુરુ ગંગાગિરીએ એમ.એસ. બિટ્ટા અને ઋષભભાઈ મારૂનું સ્વાગત કર્યું હતું. મહંતે મહેમાનોને કોટેશ્વર મહાદેવ મંદિરનો પ્રાચીન ઇતિહાસ, ધાર્મિક માન્યતાઓ અને આ પવિત્ર સ્થળના આધ્યાત્મિક મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રાવણી પૂર્ણિમાના દિવસે થયેલી આ મુલાકાત માત્ર ધાર્મિક પૂરતી સીમિત નહોતી, પરંતુ તેમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પણ જોડાયેલી હતી. સરહદી વિસ્તારમાં યોજાનારા રક્ષાબંધન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મહેમાનોની આ મુલાકાતે કચ્છની ધાર્મિક પરંપરા અને દેશની સરહદનું રક્ષણ કરતા જવાનો પ્રત્યેના સન્માનને એકસાથે ઉજાગર કર્યું હતું. કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ એમ.એસ. બિટ્ટા અને ઋષભભાઈ મારૂ આગામી રક્ષાબંધન કાર્યક્રમ માટે પ્રસ્થાન કર્યું હતું. શ્રાવણી પૂર્ણિમાના આ પાવન દિવસે કોટેશ્વર ધામમાં થયેલી આ મુલાકાત ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિના ભાવોને જોડતો એક યાદગાર પ્રસંગ બની રહી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *