માધાપરવાડી શાળામાં નંદ ઉત્સવની ઉજવણી:462 વિદ્યાર્થીનીઓએ રાધા-કૃષ્ણ વેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નંદ ઉત્સવ અને મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વ પૂર્વે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને ભગવાન શ્રીકૃષ્ણના વ્યક્તિત્વ અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો હતો. બાળકોએ રાધા-કૃષ્ણના વેશ ધારણ કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો અને ગીતો રજૂ કર્યા હતા. શાળામાં ‘બેસ્ટ કૃષ્ણ’ અને ‘બેસ્ટ રાધા’ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. કુલ 462 વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવી હતી. શાળા દ્વારા બેગલેસ ડે જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડવાનો પ્રયાસ કરાય છે. આ નંદ ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *