બીલીમોરામાં 'મન કી બાત'નું પ્રસારણ:ભાજપ કાર્યકર્તાઓ અને મહામંત્રીએ લક્ષ્મી પેલેસ ખાતે નિહાળ્યું

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

બીલીમોરા સ્થિત લક્ષ્મી પેલેસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની ૧૩૭મી કડીનું વિશેષ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી એલ.ઈ.ડી. સ્ક્રીન પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા એસ.સી. મોરચાના મહામંત્રી એડવોકેટ અમિતકુમાર સોલાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત સૌએ વડાપ્રધાનના રાષ્ટ્રનિર્માણ અને જનકલ્યાણકારી વિચારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. કાર્યક્રમના અંતે, અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી એડવોકેટ અમિતકુમાર સોલા અને અન્ય કાર્યકર્તાઓએ વડાપ્રધાનના સંદેશમાંથી પ્રેરણા લઈને સમાજ સેવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. લક્ષ્મી પેલેસ ખાતે ઉપસ્થિત આમજનતામાં પણ આ કાર્યક્રમને લઈને સારો ઉત્સાહ જોવા મળ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *