Surat News: વરાછા ઉત્રાણ બ્રિજ ઝડપથી શરૂ કરવા ધારાસભ્ય કુમાર કાનાણીની મેયરને રજૂઆત

📅 Published: August 30, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના વરાછા વિસ્તારના અશ્વિનીકુમાર અને ઉત્રાણને જોડતા તાપી નદી પરના પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ મુદ્દે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.વરાછાના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ આ બ્રિજનું કામ વિલંબ વગર તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયરને લેખિત રજૂઆત કરી છે.

નાગરિકોના સમય તેમજ ઇંધણની મોટી બચત થશે

કુમાર કાનાણીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે,અશ્વિનીકુમાર અને ઉત્રાણને જોડતો આ રિવર બ્રિજ છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાના બજેટમાં સામેલ કરવામાં આવ્યો છે.આમ છતાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું કામ આગળ વધી રહ્યું નથી.આ નવો બ્રિજ બનવાથી વરાછા મેઈન રોડ પર રહેતું ટ્રાફિકનું ભારે ભારણ ઘટશે અને દરરોજ અહીથી પસાર થતા લાખો વાહનચાલકો તથા વિસ્તારના નાગરિકોના કિંમતી સમય તેમજ ઇંધણની મોટી બચત થશે.કતારગામ વિસ્તારના જ મહાનગરપાલિકાના એક કોર્પોરેટર દ્વારા આ બ્રિજને ખર્ચાળ ગણાવીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કતારગામના કોર્પોરેટરના વિરોધ સામે કડક સવાલો

આ વિરોધ સામે ધારાસભ્ય કિશોર કાનાણીએ અત્યંત આક્રમક વલણ અપનાવી કડક સવાલો ઉઠાવ્યા છે.તેમણે સવાલ કર્યો હતો કે મહાનગરપાલિકામાં મશીનરી મેન્ટેનન્સ અને અન્ય અનેક બિનજરૂરી ખર્ચાઓ થતા હોય છે,ત્યારે તેની સામે કોઈ વિરોધ દર્શાવવામાં આવતો નથી.લાખો નાગરિકોની સુવિધા માટે ઉપયોગી એવા આ બ્રિજનો જ વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે?કિશોર કાનાણીએ આશંકા વ્યક્ત કરી છે કે બ્રિજનો વિરોધ કરવા પાછળ સંબંધિત કોર્પોરેટરનો કોઈ અંગત સ્વાર્થ છુપાયેલો હોઈ શકે છે.વરાછા અને ઉત્તર સુરતના જોડાણ માટે અતિ મહત્ત્વના ગણાતા આ તાપી રિવર બ્રિજનું કામ વહેલી તકે શરૂ થાય તેવી માંગ સાથે કિશોર કાનાણીની આ રજૂઆતે સુરત પાલિકાના સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટી ચર્ચા જગાવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પોલીસની અપીલ બાદ શહેરના લોકોએ સ્વેચ્છાએ 200થી વધુ તીક્ષ્ણ હથિયારો જમા કરાવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *