સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા મહાદેવની પધરામણી:શ્રાવણ માસમાં ગજાનન ગ્રાઉન્ડ ખાતે ધાર્મિક પ્રસંગ

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દેવાધિદેવ ભગવાન આશુતોષ મહાદેવની ભવ્ય પધરામણીનો ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. આ કાર્યક્રમ શ્રાવણ વદ-૨ના રવિવારે પટેલ કોલોની રોડ નં. ૪ અને ૫ વચ્ચે, શેરી નં. ૭-એ ખાતે ગુંજન એપાર્ટમેન્ટ સામે આવેલા ગજાનન ગ્રાઉન્ડમાં યોજાયો હતો. આ પધરામણી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભવ્ય સામૈયું, પૂજન-અર્ચન, શોભાયાત્રા, સંધ્યા મહાઆરતી અને ઈશ્વર વિવાહનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ પાવન પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના અગ્રણીઓ, આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભક્તોએ ભગવાન આશુતોષ મહાદેવના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *