નેપાળથી વહીને ઉત્તર પ્રદેશ પહોંચ્યા 17 મૃતદેહો:ચીને કહ્યું- દુર્ઘટનાના 12 દિવસ પહેલા જ એલર્ટ કર્યા હતા; અત્યાર સુધીમાં 955 મોત

📅 Published: August 31, 2026 | 📂 Category: International

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂરમાં તણાઈ ગયેલા લોકોના 17 મૃતદેહ ઉત્તર પ્રદેશમાં ગંડક નદીમાંથી મળ્યા છે. તેમાંથી 13 મૃતદેહ કુશીનગરના ખડ્ડા અને તમકુહી રાજ તાલુકામાંથી મળ્યા. જ્યારે, મહારાજગંજમાંથી મળેલા 4 મૃતદેહ સોમવારે નેપાળ પ્રશાસનને સોંપવામાં આવ્યા હતા, જેમાં 3 મહિલાઓ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓળખ ન થવા પર પોસ્ટમોર્ટમ દરમિયાન DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. બીજી તરફ, પૂર પહેલાં જરૂરી ડેટા શેર ન કરવાના આરોપો પર ચીને કહ્યું કે તેના વર્લ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરે 12 દિવસ પહેલાં જ નેપાળને ઈમેલ મોકલીને ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપી હતી. નેપાળ-તિબેટમાં અત્યાર સુધીમાં 955 લોકોના મોત થયા છે. તેમાં નેપાળમાં 939 અને તિબેટમાં 16 મોત થયા છે, જ્યારે 3900થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *