અમેરિકામાં RSS પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. આ માંગ બુધવારે અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પર સલાહ આપતા આયોગ એટલે કે USCIRF દ્વારા કરવામાં આવી છે. USCIRFના અધિકારીઓએ અમેરિકી સરકારને RSS નેતાઓને રાજદ્વારી સન્માન ન આપવા અને તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ન કરવા જણાવ્યું છે. આયોગના ચેરમેન આસિફ મહેમૂદે કહ્યું કે પીએમ મોદી RSSના સભ્ય છે અને RSSના સહયોગી સંગઠનોએ ધાર્મિક લઘુમતીઓ પર હુમલા કર્યા છે. મહેમૂદનું આ નિવેદન RSS પ્રમુખ મોહન ભાગવતના અમેરિકા પ્રવાસના થોડા દિવસો પહેલા આવ્યું છે. ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કમાં અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD) દ્વારા આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સ’માં ભાગ લેવાના છે. આયોગના કમિશનરે કહ્યું- ભારત સરકાર સાથે સંકળાયેલા RSS નેતાઓને સન્માન ન મળે USCIRF કમિશનર જીન મિલ્સે કહ્યું કે RSS નેતાઓ ભલે ભારતીય સરકાર સાથે જોડાયેલા હોય, તેમ છતાં તેમને ઉચ્ચ સ્તરીય બેઠકો કે રાજદ્વારી સન્માનના હકદાર ન માનવા જોઈએ. મિલ્સે કહ્યું કે તેના બદલે અમેરિકી સરકારે ધાર્મિક આસ્થાની સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે જવાબદાર ઠરેલા RSS સભ્યો પર પ્રતિબંધ લગાવવા પર ધ્યાન આપવું જોઈએ. USCIRF એ મહમૂદ અને મિલ્સના નિવેદનો પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યા. મહમૂદે પોસ્ટમાં કહ્યું, ભારતના વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય છે. RSS એક ભારતીય સંગઠન છે, જેના સહયોગી સંગઠનોએ ધાર્મિક લઘુમતીઓ, જેમાં ખ્રિસ્તી અને મુસ્લિમનો સમાવેશ થાય છે, તેમના પર હુમલા કર્યા છે. હવે RSS પ્રમુખ મોહન ભાગવત અમેરિકા આવવાની યોજના બનાવી રહ્યા છે.” RSS પર પ્રતિબંધ મૂકવાની માંગ કરનાર USCIRF શું છે, કેટલી છે તાકાત યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એટલે કે USCIRF અમેરિકાની એક સ્વતંત્ર સરકારી સંસ્થા છે. તેને અમેરિકી કોંગ્રેસે 1998ના ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટ હેઠળ બનાવ્યું હતું. USCIRFનું કામ શું છે… USCIRFની કેટલી તાકાત છે? તેને આ રીતે સમજો: USCIRF- માત્ર સલાહ અને દેખરેખ રાખતી સંસ્થા.
યુએસ સરકાર- અંતિમ નીતિ અને કાર્યવાહી કરવામાં સક્ષમ. એટલે કે જો USCIRF કોઈ દેશ કે સંગઠન પર પ્રતિબંધની ભલામણ કરે છે, તો પ્રતિબંધ આપમેળે લાગુ પડતો નથી. અમેરિકી સરકારે તે ભલામણ પર અલગથી નિર્ણય લેવો પડે છે. USCIRF પોતે પ્રતિબંધ લગાવતી એજન્સી નથી. તો પછી તેની વાતને ગંભીરતાથી કેમ લેવામાં આવે છે? કારણ કે આ કોઈ ખાનગી NGO નથી. આ અમેરિકી સરકારની સત્તાવાર, કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે અને તેના સભ્યો રાષ્ટ્રપતિ તથા અમેરિકી કોંગ્રેસના બંને મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. તેના અહેવાલો અમેરિકી વિદેશ નીતિમાં ઇનપુટ અને રાજકીય દબાણનું કામ કરી શકે છે. જોકે, તેની ભલામણ અને અમેરિકી સરકારનો અંતિમ નિર્ણય અલગ-અલગ બાબતો છે. માર્ચમાં USCIRF રિપોર્ટ પર ભારતે વાંધો ઉઠાવ્યો હતો માર્ચમાં USCIRFના વાર્ષિક રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના કથિત ઉલ્લંઘનોની ટીકા કરવામાં આવી હતી. રિપોર્ટમાં RSS અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) જેવી સંસ્થાઓ અને કેટલાક લોકો પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં તેમને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનો માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ભારતે USCIRFના રિપોર્ટને ફગાવી દીધો હતો. ભારતે કહ્યું હતું કે આ સંગઠન સતત દેશની ખરાબ છબી રજૂ કરે છે જે શંકાસ્પદ સ્ત્રોતો અને વૈચારિક કથાઓ પર આધારિત હોય છે. ભારતે કહ્યું હતું- USCIRF અમેરિકામાં હિંદુ મંદિરો પરના હુમલાઓ પર ધ્યાન આપે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 16 માર્ચે નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની પસંદગીયુક્ત ટીકા કરવાનું ચાલુ રાખવાને બદલે USCIRF એ અમેરિકામાં હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ પર ધ્યાન આપવું જોઈએ.
અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા આયોગે કહ્યું- RSS પર પ્રતિબંધ લાગે:અહીં આવતા સંઘના નેતાઓને સન્માન ન મળે; 29 ઓગસ્ટે મોહન ભાગવત ન્યૂયોર્ક જશે
📅 Published: August 20, 2026 |
📂 Category: International
