ગોધરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. શ્રીમાળી શેરી યુવક મંડળ દ્વારા આ વર્ષે અનોખી ‘મિની વનતારા’ થીમ આધારિત ગણેશ પંડાલ તૈયાર કરાયો છે. આ પંડાલ રિલાયન્સ ફાઉન્ડેશનના જામનગર સ્થિત ‘વનતારા’ પ્રોજેક્ટથી પ્રેરણા લઈને બનાવાયો છે. પંડાલમાં હાથી, સિંહ, દીપડો, જિરાફ સહિત વિવિધ વન્યજીવોના આબેહૂબ મોડેલ્સ રજૂ કરાયા છે. આ સાથે પર્યાવરણ સંરક્ષણ અને અબોલ જીવો પ્રત્યે જીવદયાનો સંદેશ પણ અપાયો છે. શ્રીમાળી શેરી યુવક મંડળના પ્રિન્સ સોનીએ જણાવ્યું કે, ગોધરામાં પહેલીવાર ‘મિની વનતારા’ થીમ રજૂ કરાઈ છે. લોકોને પણ આ આયોજનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનંત અંબાણીના જામનગર સ્થિત વનતારા પ્રોજેક્ટની થીમ પરથી પ્રેરણા લઈને ગણેશજીના દર્શન સાથે વિવિધ પ્રાણીઓની પ્રતિકૃતિઓ અહીં રજૂ કરાઈ છે. આ દરમિયાન રંગબાળ સ્થિત પૂજ્ય જગદીશાનંદજી મહારાજે પણ ‘મિની વનતારા’ પંડાલની મુલાકાત લીધી હતી. તેમણે ગણેશજીના દર્શન કર્યા અને યુવક મંડળના આ અનોખા પ્રયાસને બિરદાવ્યો. જગદીશાનંદજી મહારાજે કહ્યું કે, વનતારાની થીમ ખૂબ જ ગમી. આવા આયોજનથી પશુ-પક્ષીઓ અને અબોલ જીવોની રક્ષા તથા માવજત અંગે જાગૃતિ ફેલાય છે. દરેક જીવમાં ભગવાન ગણેશના દર્શન કરી પ્રાણી-પક્ષીઓ પ્રત્યે હમદર્દી રાખવાનો સંદેશ અહીં અપાયો છે. શ્રીમાળી શેરી યુવક મંડળનું આ આયોજન ધાર્મિક આસ્થા સાથે અબોલ જીવો પ્રત્યે કરુણા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે. આથી ગણેશોત્સવમાં તે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગોધરા ગણેશોત્સવમાં ‘મિની વનતારા’ થીમ બની આકર્ષણનું કેન્દ્ર:જગદીશાનંદજી મહારાજે પંડાલની મુલાકાત લીધી, યુવક મંડળના પ્રયાસને બિરદાવ્યો
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
