નેપાળના દાર્ચુલા લેન્ડસ્લાઇડ, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ:ત્રિશૂલીમાંથી વધુ 3 ભારતીયોનું રેસ્ક્યુ; પૂરથી અત્યાર સુધીમાં 1300થી વધુનાં મોત, 5 હજાર ગુમ

📅 Published: September 5, 2026 | 📂 Category: International

નેપાળના દાર્ચુલા જિલ્લામાં શુક્રવારે ભારે ભૂસ્ખલન બાદ ચૌલાની નદીનો રસ્તો બંધ થઈ ગયો. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીનો પ્રવાહ પ્રભાવિત થવાથી આસપાસના વિસ્તારોમાં જોખમ વધી ગયું છે. તેમજ, 26 ઓગસ્ટના પૂર-ભૂસ્ખલન બાદથી રાહત-બચાવ કાર્ય ચાલુ છે. ત્રિશૂલી બજાર વિસ્તારમાંથી 5 વર્ષના બાળક સહિત ત્રણ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 169 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 275 હજુ પણ ગુમ છે. નેપાળમાં અત્યાર સુધીમાં લગભગ 1344 લોકોનાં મોત થયા છે, જ્યારે રાહત અને બચાવ દળોએ 12 હજાર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. હાલમાં 5300 થી વધુ લોકો ગુમ છે. સરકારી રિપોર્ટ અનુસાર, પૂરથી 32,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. નેપાળ આપત્તિ સંબંધિત 3 તસવીરો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *