નેપાળમાં પૂર પછી અનેક અજાણ્યા મૃતદેહોને બાળવાને બદલે દફનાવવામાં આવી રહ્યા છે. પ્રશાસન આવું એટલા માટે કરી રહ્યું છે જેથી મૃતદેહોના અવશેષો સુરક્ષિત રહી શકે અને ભવિષ્યમાં DNA તપાસ દ્વારા તેમની ઓળખ કરીને તેમને પરિવારજનોને સોંપી શકાય. પાણી અને કાદવમાં લાંબા સમય સુધી દબાયેલા રહેવાથી મૃતદેહોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઘણા મૃતદેહો પાણીમાં ફૂલી ગયા છે અને સડી રહ્યા છે. તેનાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. બીજી તરફ, શબઘર અને અસ્થાયી કેન્દ્રો પણ મૃતદેહોથી ભરાઈ ગયા છે. આવા સંજોગોમાં પ્રશાસન માટે મૃતદેહોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા શક્ય નથી. આ જ કારણ છે કે અજાણ્યા મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યા છે. 26 ઓગસ્ટે આવેલા પૂર પછી મૃત્યુઆંક વધીને 1,066 થઈ ગયો છે. તેમાં નેપાળમાં 1,050 અને તિબેટમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે, 4400થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નેપાળ હોનારતની 4 નવી તસવીરો… નુવાકોટના ત્રિશૂલી કેમ્પમાં હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવેલા પૂર પીડિતોના મૃતદેહોને લઈ જતા સેનાના જવાનો. નેપાળમાં પૂર પછી કેમ્પ લગાવીને રાહત સામગ્રી વહેંચવામાં આવી રહી છે. નેપાળ આપત્તિમાં પોતાના પરિજનોની શોધમાં લોકો મૃતકોની તસવીરો પણ જોઈ રહ્યા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
નેપાળમાં મૃતદેહોને બાળવાને બદલે દફનાવવામાં આવી રહ્યા છે:DNA તપાસથી ઓળખ થશે, પછી પરિવારજનોને અવશેષો સોંપવામાં આવશે; અત્યાર સુધીમાં 1066 મોત
📅 Published: September 1, 2026 |
📂 Category: International
