નેપાળમાં આવેલા પૂરના 13 દિવસ પછી પણ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. બચાવ ટુકડીઓ અલગ-અલગ 7 હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓની શોધ કરી રહી છે. અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 4894 લોકો હજુ પણ ગુમ છે. તેમાં 587 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પહાડી વિસ્તારો, તૂટેલા રસ્તાઓ અને ભારે કાટમાળને કારણે બચાવ અભિયાનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 1,356 લોકોના મોત થયા છે. જ્યારે તિબેટમાં 43 લોકોના મોત થયા છે અને 519 ગુમ છે. નેપાળ બચાવ અભિયાન સંબંધિત તસવીર નેપાળ પૂર સંબંધિત અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
નેપાળ પૂરમાં 7 સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓની શોધખોળ ચાલુ:અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ, 5 હજાર હજુ પણ ગુમ
📅 Published: September 8, 2026 |
📂 Category: International
