પાકિસ્તાનને ખીચડી ખાવાના ફાંફા ને ઇનામ આપશે 70 લાખ!:આતંકવાદી મસૂદ-અઝહર પર ઇનામ વધાર્યુ, ભાગેડુ જાહેર કર્યો; FATFની બેઠક પહેલાં PAKની નવી ચાલ

📅 Published: September 14, 2026 | 📂 Category: International

પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના પ્રમુખ મસૂદ અઝહર પર ઇનામ વધારીને 70 લાખ પાકિસ્તાની રૂપિયા કરી દીધું છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ આતંકવાદીઓની નવી રેડ બુકમાં અઝહરને ભાગેડુ જાહેર કર્યો છે. આ કાર્યવાહી ઓક્ટોબરમાં યોજાનારી ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક પહેલા થઈ છે. FIA એ અઝહર પર અગાઉ જાહેર કરાયેલા ઇનામમાં 20 લાખ પાકિસ્તાની રૂપિયાનો વધારો કર્યો છે. એજન્સીએ 2021માં તેના પર 50 લાખ પાકિસ્તાની રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. FATFની બેઠક પહેલા કાર્યવાહી શા માટે મહત્વપૂર્ણ છે? પાકિસ્તાન અગાઉ FATFની ગ્રે લિસ્ટમાં રહી ચૂક્યું છે. આ સમયગાળા દરમિયાન તેના પર આતંકવાદી ફંડિંગ અને મની લોન્ડરિંગ સામે કાર્યવાહી કરવાનું આંતરરાષ્ટ્રીય દબાણ હતું. ઓક્ટોબર 2022માં FATFએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢ્યું હતું. હવે ઓક્ટોબરમાં FATFની પ્લેનરી બેઠક યોજાવાની છે. આવી સ્થિતિમાં, મસૂદ અઝહર જેવા આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહીની જાહેરાત પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આનાથી તે આંતરરાષ્ટ્રીય સ્તરે એ બતાવવાનો પ્રયાસ કરી શકે છે કે તે આતંકવાદ અને આતંકવાદી ભંડોળ સામે પગલાં લઈ રહ્યું છે.
આતંકી મસૂદ ભારતમાં અનેક કેસોમાં વોન્ટેડ મસૂદ અઝહર ભારતના સૌથી વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે. તે જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક અને વડો છે. આ સંગઠનને ભારત, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. પાકિસ્તાને 2021માં દાવો કર્યો હતો કે મસૂદ અઝહર તેના દેશમાં નથી અને તે અફઘાનિસ્તાન ભાગી ગયો છે. તે જ વર્ષે FIAએ તેની રેડ બુકમાં તેને ભાગેડુ જાહેર કરીને 50 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. હવે પાંચ વર્ષ પછી પાકિસ્તાને ઇનામની રકમ વધારી દીધી છે. જોકે, પાકિસ્તાને એ સ્પષ્ટ કર્યું નથી કે અઝહર હાલમાં ક્યાં છે.
સંસદ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે આતંકી અઝહર પાકિસ્તાની આતંકી મસૂદ અઝહર 2001માં ભારતની સંસદ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ ઉપરાંત તેણે ભારતમાં અનેક આતંકી હુમલાઓને અંજામ આપ્યો છે. મસૂદ 2016માં થયેલા પઠાણકોટ હુમલાનો પણ માસ્ટરમાઇન્ડ છે. આ મામલે દિલ્હી પોલીસની ચાર્જશીટ મુજબ, મસૂદે ભારત પર હુમલાઓ માટે જૈશ-એ-મોહમ્મદના કેડરનો ઉપયોગ કર્યો હતો. તેણે 2005માં અયોધ્યામાં રામ જન્મભૂમિ અને 2019માં પુલવામામાં CRPFના જવાનો પર પણ હુમલો કરાવ્યો હતો. આ ઉપરાંત મસૂદ 2016માં ઉરી હુમલા અને અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં ભારતીય કોન્સ્યુલેટ પર થયેલા હુમલા માટે પણ જવાબદાર છે. 1994માં પહેલીવાર ભારત આવ્યો હતો મસૂદ અઝહર મસૂદ અઝહર પહેલીવાર 29 જાન્યુઆરી, 1994ના રોજ બાંગ્લાદેશથી વિમાનમાં સવાર થઈને ઢાકાથી દિલ્હી પહોંચ્યો હતો. 1994માં અઝહર નકલી ઓળખ બનાવીને શ્રીનગરમાં ઘુસ્યો હતો. તેનો હેતુ હરકત-ઉલ-જિહાદ અલ-ઇસ્લામી અને હરકત-ઉલ-મુજાહિદ્દીન જૂથો વચ્ચે તણાવ ઘટાડવાનો હતો. આ દરમિયાન ભારતે તેને આતંકવાદી કૃત્યોમાં સામેલ થવા બદલ અનંતનાગથી પકડી લીધો હતો. ત્યારે અઝહરે કહ્યું હતું- કાશ્મીરને આઝાદ કરાવવા માટે 12 દેશોમાંથી ઇસ્લામના સૈનિકો આવ્યા છે. અમે તમારી કાર્બાઇનનો જવાબ રોકેટ લોન્ચરથી આપીશું. તેના 4 વર્ષ પછી જુલાઈ 1995માં જમ્મુ-કાશ્મીરમાં 6 વિદેશી પ્રવાસીઓનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણકર્તાઓએ પ્રવાસીઓના બદલામાં મસૂદ અઝહરને મુક્ત કરવાની માંગ કરી. આ દરમિયાન ઓગસ્ટમાં બે પ્રવાસીઓ અપહરણકર્તાઓની કેદમાંથી ભાગવામાં સફળ રહ્યા. જોકે, બાકીના વિશે કોઈ માહિતી મળી શકી નહીં. 1999માં વિમાન હાઇજેક થયા પછી ભારત સરકારે અઝહરને છોડ્યો 24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી આવી રહેલા એક ભારતીય વિમાનને અઝહરના ભાઈ સહિત અન્ય આતંકવાદીઓએ હાઇજેક કરી લીધું હતું. તેઓ તેને અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા, જ્યાં તે સમયે તાલિબાનનું શાસન હતું. વિમાનમાં કેદ લોકોના બદલામાં મસૂદ અઝહર સહિત 3 આતંકવાદીઓને છોડવાની માંગ કરવામાં આવી. આતંકવાદીઓની માંગ પૂરી થઈ અને મસૂદ આઝાદ થઈ ગયો. ત્યારબાદ તે પાકિસ્તાન ભાગી ગયો. ચીની સરકારે UNSCમાં મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થવાથી ઘણી વાર બચાવ્યો છે. 2009માં અઝહરને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા માટે પહેલીવાર પ્રસ્તાવ આવ્યો હતો. ત્યારે સતત 4 વાર ચીને પુરાવાના અભાવનો હવાલો આપીને પ્રસ્તાવ પસાર થવા દીધો ન હતો. ઓપરેશન સિંદૂરમાં મસૂદના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા ભારતે 22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલા પછી 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. બહાવલપુર પર ભારતીય હુમલામાં મસૂદના પરિવારના 10 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત 4 સાથીઓના પણ મોત થયા હતા. મૃતકોમાં મસૂદની મોટી બહેન અને તેનો પતિ, મસૂદનો ભત્રીજો અને તેની પત્ની, મસૂદની એક ભત્રીજી અને તેના પાંચ બાળકોનો સમાવેશ થાય છે. હુમલા સમયે મસૂદ ઘટનાસ્થળે નહોતો, આ કારણે તેનો જીવ બચી ગયો હતો. બીબીસી ઉર્દૂના રિપોર્ટ અનુસાર આતંકવાદી મસૂદે પરિવારના લોકોના મૃત્યુ પછી એક નિવેદન પણ જાહેર કર્યું હતું. તેમાં તેણે કહ્યું હતું કે હું પણ મરી ગયો હોત તો નસીબદાર હોત.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *