પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદ પાસે જોરદાર વિસ્ફોટ થયો. તેમાં 16 લોકોનાં મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 5 પોલીસકર્મીઓ અને 11 સામાન્ય નાગરિકો સામેલ છે. વિસ્ફોટથી મસ્જિદનો બહારનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો અને એક દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ. પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે જૂની પોલીસ લાઇન્સના ગેટ સાથે વિસ્ફોટકોથી ભરેલી ગાડી ટકરાઈ હતી. પાકિસ્તાનમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 990 આતંકી ઘટનાઓમાં 1129 લોકોનાં મોત થયા છે. વિસ્ફોટ બાદની તસવીરો ખૈબર પખ્તૂનખ્વાના સીએમએ ઘટનાનો રિપોર્ટ માંગ્યો ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ અફરીદીએ ઘટનાનો સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે નિર્દોષ લોકોને નિશાન બનાવવું અત્યંત ખોટું છે અને તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. તેમણે અધિકારીઓને ઘાયલોની તાત્કાલિક સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા. અફરીદીએ કહ્યું, “આતંકવાદીઓની આવી હરકતોથી દેશનું મનોબળ નહીં તૂટે.” ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ પણ વિસ્ફોટની નિંદા કરી હતી. કોહાટમાં અગાઉ પણ થયો હતો બોમ્બ વિસ્ફોટ કોહાટમાં આ પહેલાં પણ મોટો હુમલો થઈ ચૂક્યો છે. 2010માં પોલીસ લાઇન્સ પાછળ બનેલી એક પોલીસ કોલોનીમાં રિમોટ કંટ્રોલ બોમ્બ વિસ્ફોટ થયો હતો. તેમાં 20 લોકોનાં મોત થયાં હતાં, જેમાં મોટાભાગના પોલીસકર્મીઓના પરિવારના સભ્યો હતા. જ્યારે, 90થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન બીજા નંબરે ——————————-
પાકિસ્તાનમાં નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો, 16નાં મોત:આતંકવાદી વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈને ટકરાયો, આ વર્ષે થયેલા હુમલાઓમાં 1000થી વધુ મોત
📅 Published: September 18, 2026 |
📂 Category: International
