મોરબીના બેલા ગામ પાસે આવેલા મુરાનો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં એક સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતાએ મોબાઈલ ફોન પર વધુ પડતી વાત કરવા બદલ ઠપકો આપતા સગીરાને લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક 16 વર્ષીય સગીરા સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં પરિવાર સાથે રહેતી હતી અને મજૂરી કામ કરતી હતી. તે મોબાઈલ ફોન પર કોઈની સાથે વધુ પડતી વાતો કરતી હતી. આ બાબતે તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો અને ફોન પર વાત કરવાની ના પાડી હતી. માતાના ઠપકાથી સગીરાને માઠું લાગી આવતા તેણે ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા કિશન પરસોતમભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તપાસ અધિકારી ફિરોજભાઈ સુમરાએ જણાવ્યું હતું કે, માતાના ઠપકાના કારણે સગીરાએ આ પગલું ભર્યું હતું. પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મોબાઈલ ફોન બાબતે ઠપકો આપતા સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો:માતાના ઠપકાથી લાગી આવ્યું, મોરબીના બેલા ગામની ઘટના
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
