મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના આગમનને લઈને એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા નાની બજાર સ્થિત સૈફી મસ્જિદથી શરૂ થઈ મોલાએરાજા સાહેબની દરગાહ શરીફ ખાતે પહોંચી હતી. આ પદયાત્રામાં દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રદ્ધાળુઓ અકીદત અને ઈમાન સાથે પદયાત્રામાં સામેલ થયા હતા. દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ, શ્રદ્ધાળુઓ દ્વારા મૌલા સાહેબ મોરબી પધારે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મોરબી શહેર અને સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં અમન, સલામતી, ખુશહાલી, બરકત અને ભાઈચારા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીનના મોરબી આગમનના અવસરને લઈને સમાજના લોકોમાં એકતા અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના ભાઈઓએ એકતાના ભાવ સાથે પદયાત્રામાં જોડાઈને પોતાની અકીદત વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરગાહ શરીફ ખાતે ઈબાદત અને દુઆનો માહોલ છવાઈ ગયો હતો. મોરબી દાઉદી વ્હોરા સમાજે મૌલા સાહેબના આગમન નિમિત્તે શહેર અને સમાજની સલામતી તથા શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની પદયાત્રા:મૌલા સૈયદના સૈફુદ્દીનના આગમન માટે દરગાહે ખાસ દુઆ કરાઈ
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
