મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફતર તપાસણી હાથ ધરી હતી. કલેક્ટરે વિવિધ સરકારી કામગીરી અને દફતરોની ચકાસણી કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દફતર તપાસણી બાદ કલેક્ટરે ગ્રામજનો સાથે રાત્રિસભા યોજી હતી. આ સભામાં ગ્રામજનોને સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ લોકઉપયોગી સેવાઓ, યોજનાઓ અને સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. રાત્રિસભા દરમિયાન ગ્રામજનોએ રજૂ કરેલા સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળ પર જ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે અધિકારીઓને પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. કલેક્ટરની આ મુલાકાતથી ગ્રામજનો સાથે સીધો સંવાદ શક્ય બન્યો હતો. વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોરબી કલેક્ટરે ટંકારાના નેસડા ગામની મુલાકાત લીધી:દફતર તપાસી, રાત્રિસભા યોજી ગ્રામજનોના પ્રશ્નો સ્થળ પર ઉકેલવા સૂચના આપી
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
