રિપોર્ટ- પુતિનને યુદ્ધ સમાપ્ત થવા પર સત્તા ગુમાવવાનો ડર:કહ્યું- જો ડોનબાસ પર કબજો કર્યા વિના યુદ્ધ રોકવામાં આવશે તો ફાંસી આપવામાં આવશે

📅 Published: September 1, 2026 | 📂 Category: International

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ડર છે કે જો તેઓ આખો ડોનબાસ કબજે કર્યા વિના યુક્રેન યુદ્ધ સમાપ્ત કરશે, તો રશિયાના શક્તિશાળી લોકોમાં તેમની સામે નારાજગી વધી શકે છે. આનાથી તેમની સત્તા પર પણ ખતરો આવી શકે છે. ધ ઇકોનોમિસ્ટના એક અહેવાલ મુજબ, પુતિનને લાગે છે કે પોતાની મોટી માંગણીઓ પૂરી કર્યા વિના યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવું રશિયામાં તેમની નબળાઈ ગણાશે. ક્રેમલિનના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાના પરિણામો વિશે વાત કરતી વખતે પુતિને એકવાર કહ્યું હતું કે, “તેઓ મને ફાંસી આપી દેશે.” પુતિનું માનવું છે કે જો રશિયાનો નેતા નબળો દેખાય છે, તો તેના માટે સત્તામાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. આ જ કારણ છે કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે મોટા કરારો કરવાથી બચી રહ્યા છે. યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાંસ્ક પ્રદેશોને ભેગા કરીને ડોનબાસ કહેવાય છે. રશિયાનો ડોનબાસના લગભગ 90% હિસ્સા પર નિયંત્રણ છે. લુહાંસ્ક: લગભગ 99.8% હિસ્સા પર રશિયાનું નિયંત્રણ ડોનેત્સ્ક: લગભગ 80% હિસ્સા પર રશિયાનું નિયંત્રણ પુતિન સામે હવે શું રસ્તો છે? રિપોર્ટ અનુસાર, પાંચ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધે પુતિન માટે સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી છે. યુદ્ધ ચાલુ રાખવા પર યુક્રેન રશિયાના તેલ અને ઊર્જા ઠેકાણાઓ પર સતત હુમલા કરી રહ્યું છે. આનાથી રશિયાનો ખર્ચ સતત વધી રહ્યો છે. યુદ્ધ રોકવું પણ પુતિન માટે સરળ નથી. રિપોર્ટ અનુસાર, તેમને સામાન્ય લોકોની નારાજગી કરતાં રશિયાના એ શક્તિશાળી લોકોની વધુ ચિંતા છે, જેમની પાસે પૈસા, હથિયાર અને સત્તા સુધી પહોંચ છે. એસ્ટોનિયન ગુપ્તચર પ્રમુખ રોસિન અનુસાર, આ લોકો વચ્ચે હવે પહેલાની જેમ રશિયાની સંપૂર્ણ જીતની વાત નથી થઈ રહી. તેના બદલે તેઓ વિચારી રહ્યા છે કે આ યુદ્ધને યોગ્ય રીતે કેવી રીતે સમાપ્ત કરવું. પાંચ વર્ષના યુદ્ધ પછી લોકોની નારાજગી વધી ધ ઇકોનોમિસ્ટ અનુસાર, રશિયાના શક્તિશાળી લોકોમાં હવે આ સવાલ ઉઠવા લાગ્યો છે કે લગભગ પાંચ વર્ષ સુધી યુદ્ધ લડ્યા પછી આખરે દેશે શું મેળવ્યું. ચિંતા ફક્ત અર્થતંત્ર કે યુદ્ધના પરિણામની નથી, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલા આ યુદ્ધની કિંમતને લઈને પણ છે. રિપોર્ટમાં રશિયાના એક શક્તિશાળી વ્યક્તિને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ત્યાં હવે એવી ભાવના વધી રહી છે કે “રાજા પાસે કપડાં નથી.” એટલે કે સત્તાની નબળાઈઓ હવે પહેલાની જેમ છુપાયેલી નથી અને લોકોને દેખાવા લાગી છે. તેમ છતાં, પુતિનની સત્તા પર પકડ મજબૂત છે. રશિયા પાસે યુદ્ધ ચાલુ રાખવા માટે પૈસા અને વિરોધને દબાવવા માટે મજબૂત સિસ્ટમ છે. પરંતુ ધ ઇકોનોમિસ્ટ અનુસાર, રાજકારણમાં લોકો હિંસા સહન કરી શકે છે, પરંતુ નિષ્ફળતા નહીં. ડોનબાસને લઈને રશિયા અને યુક્રેન વચ્ચે મામલો ફસાયેલો છે રશિયા આખા ડોનબાસ પર કબજો કરવા માગે છે, પરંતુ યુક્રેન પોતાની જમીન છોડવા તૈયાર નથી. આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતીમાં આ સૌથી મોટી અડચણોમાંની એક બની રહી છે. રશિયા ડોનબાસને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે અને તેને છોડવા માંગતું નથી. પુતિન પહેલા જ કહી ચૂક્યા છે કે શાંતિ સમજૂતી માટે યુક્રેનને રશિયાના કબજા હેઠળના વિસ્તારો પર પોતાનો દાવો છોડવો પડશે. સાથે જ તેને આ વિસ્તારોને રશિયાનો ભાગ માનવો પડશે. 2022થી ચાલુ રશિયા-યુક્રેન યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફેબ્રુઆરી 2022માં શરૂ થયું. રશિયાએ યુક્રેનના મોટા ભાગ પર કબજો કરી લીધો અને ત્યારથી બંને દેશો વચ્ચે લડાઈ ચાલુ છે. રશિયા પાસે યુક્રેનના લગભગ 20% વિસ્તાર પર કબજો છે. આ યુદ્ધમાં હજારો નાગરિકો અને સૈનિકોના મોત થયા છે, જ્યારે લાખો યુક્રેનિયનો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. જૂન 2023 સુધીમાં લગભગ 80 લાખ લોકો યુક્રેન છોડીને અન્ય દેશોમાં ચાલ્યા ગયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુદ્ધ સમાપ્ત કરાવવા માટે રશિયા અને યુક્રેનના નેતાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અલાસ્કામાં મુલાકાત કરી હતી. આ લગભગ 80 વર્ષમાં કોઈ રશિયન નેતાની પ્રથમ અલાસ્કા યાત્રા હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *