રુવાવી સુજલામ સુફલામ કેનાલ સમારકામની રજૂઆત:ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલી ટાળવા ઈજનેરને લેખિત રજૂઆત

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

પાટણ તાલુકાના રુવાવી ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી છે. પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશ પરમારે વિસનગરના સુજલામ સુફલામ વિભાગ-8ના કાર્યપાલક ઈજનેરને આ અંગે લેખિત રજૂઆત કરી છે. કેનાલની ક્ષતિગ્રસ્ત સ્થિતિને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીના વહનમાં અડચણ ઊભી થવાની શક્યતા છે. પાણીનો વ્યય થવાની અને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ બાબતે રુવાવી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન પરમાર દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતના આધારે પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન નરેશ પરમારે સંબંધિત વિભાગ સમક્ષ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. નરેશ પરમારે કાર્યપાલક ઈજનેરને કેનાલની ક્ષતિગ્રસ્ત જગ્યાઓની તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ જરૂરી સમારકામ શરૂ કરવા જણાવ્યું છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *