અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ ગણેશ પંડાલમાં મોટી સંખ્યામાં ગણેશભક્તો ઉમટી રહ્યા છે. અહીં ગણેશપ્રતિમાને ભાતીગળ શણગારથી સજાવાઈ છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સદભાવના ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ પંડાલમાં અલગ અલગ રીતે શણગાર કરવામાં આવે છે. ગણેશ મહોત્સવના અંતિમ દિવસોમાં ગણેશ મૂર્તિ પર લાખો રૂપિયાની નોટો લગાવીને ખાસ શણગાર કરાય છે. આ અનોખો શણગાર ભક્તોમાં ભારે ઉત્સાહ જગાવે છે.
સાવરકુંડલામાં 15 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન:ગણેશપ્રતિમાને ભાતીગળ શણગાર; ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર
📅 Published: September 17, 2026 |
📂 Category: gujarati-news
