સુરેન્દ્રનગરમાં માનવ મંદિર નજીક પારિવારિક ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી હતી. આ હત્યા એક રીક્ષામાં કરાઈ હતી. રાજેશ કાંઝિયા નામના વ્યક્તિએ તેની પત્ની સોનલબેન પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીરઈજાથી સોનલબેનનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે મોકલી આપી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ હત્યાની ઘટનાને પગલે બનાવના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
સુરેન્દ્રનગરમાં પતિએ પત્નીની હત્યા કરી:ઘરકંકાસમાં રીક્ષામાં જ છરી મારી પતાવી દીધી, અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
