SPUના ત્રણ અધ્યાપકોને 6.50 લાખની સંશોધન ગ્રાન્ટ:'રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ' યોજના હેઠળ મંજૂર, અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોના શિક્ષકોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ‘રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)ના ત્રણ અધ્યાપકોને કુલ 6.50 લાખ રૂપિયાની સંશોધન ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ વર્ષ 2023-24 અને 2024-25 માટે મંજૂર કરવામાં આવી છે. જેમાં ડૉ. સૌરભ એસ. સોનીને “Surfactant Based Aqueous Electrolytes For Rechargable Zinc lon Batteries” પ્રોજેક્ટ માટે 3.50 લાખ રૂપિયા, ડૉ. વિરાજ એન. રોઘેલિયાને “Impact Of A Knowledge-Based Intervention Programme On Awareness And Attitudes Related To Menopause Among Women (35-55 Years)” પ્રોજેક્ટ માટે 2 લાખ રૂપિયા અને ડૉ. કોમલબેન વિમલકુમાર પટેલને “Cost-Benefit Analysis Of Residential Solar Photovoltaic Systems (RSPVS) In Anand Taluka” પ્રોજેક્ટ માટે 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સિદ્ધિ બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *